પ્રતિ તલાવડી રૂ. ૫૦૦૦૦૦/-ની મર્યાદામાં સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી કામગીરી કરવાની રહેશે. • સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે સંસ્થા/લાભિત ખાતેદાર પાસેથી ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને કામગીરી પુર્ણ થયેથી ૯૦% સુધીની સહાય. પ્રતિ હેક્ટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અને ભરૂચ જીલ્લામાં તમામ ખેડૂત ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો. પ્રતિ સ્ટ્રકચર રૂ.૧.૧૨/- લાખની મર્યાદામાં રાજયના અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને ભાવનગર જિલ્લામાં તમામ ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ સ્વરૂપે જમા કરાવવાનો રહેશે. પ્રતિ સ્ટ્રકચર રૂ.૫.૦૦/- લાખની મર્યાદામાં રાજયના અનુસુચિત જન જાતિના ખાતેદારોની વસ્તી ધરાવતા જિલ્લાઓમાં એસ.ટી. ખાતેદારો માટે ૭૫% સહાય અને ૨૫% શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો જમા કરાવવો તથા રાજયના ૫છાત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકો અને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તમામ ખેડૂત ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો. સ્ત્રોત- ખેતીવાડી ખાતું મહેસાણા જિલ્લો