<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <ul> <li>એસીડીક જમીનમાં (જેનો પી.એચ. આંક ૭ થી ઓછો હોય) સામાન્ય રીતે કેલ્શીયમ, મેગ્નેશીયમ, સલ્ફર અને મોલીબ્લેડમ ની ઉણપ જોવા મળે છે.</li> <li>આલ્ક્લાઇન (ભાસ્મીક) જમીનમાં (જેનો પી.એચ. આંક ૭ થી ઉપર હોય) સામાન્ય રીતે બોરોન, તાંબુ, લોહ તત્વ, મેંગેનીઝ અને જસત ની ઉણપ જોવા મળે છે.</li> </ul> <h3>ફોસ્ફરસની લભ્યતા પર અસર</h3> <ul> <li>ફોસ્ફરસની લભ્યતા ને જમીનનો પી.એચ. આંક ખુબ મોટા પાયે અસર કરે છે.</li> </ul> <ol> <li>જમીનનો પી.એચ. આંક જો ૪ થી નીચો હોય તો ફોસ્ફરસ લોહ તત્વ સાથે જોડાઇ જાય છે અને અલભ્ય બને છે.</li> <li>જમીનનો પી.એચ. આંક જો ૪ થી ૬ વચ્ચે હોય તો ફોસ્ફરસ એમોનીયા સાથે જોડાઇ જાય છે અને અલભ્ય બને છે.</li> <li>જમીનનો પી.એચ. આંક જો ૬ થી ૭ વચ્ચે હોય તો ફોસ્ફરસ મુક્ત રહે છે અને લભ્ય હોય છે.</li> <li>જમીનનો પી.એચ. આંક જો ૭ થી ઉપર હોય તો ફોસ્ફરસ કેલ્શીયમ સાથે જોડાઇ જાય છે અને અલભ્ય બને છે.</li> </ol> <h3>અન્ય પોષક તત્વોની લભ્યતા પર અસર</h3> <ul> <li>ફોસ્ફરસ સીવાયના પોષક તત્વોની લભ્યતા ને પણ જમીનનો પી.એચ. આંક ખુબ મોટા પાયે અસર કરે છે. જમીનના પી.એચ. આંકની પોષક તત્વોની લભ્યતા પર શું અસર થાય છે તે નીચે દર્શાવેલ છે.</li> </ul> <span><img class="image-left" src="https://static.vikaspedia.in/media_vikaspedia/gu/images/agriculture/a9caaeac0aa8/soilphnutrientchart.jpg" /></span> <ul> </ul> </div>